રાજકોટ,
10/4/2020 જ્યારે રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જીતેન્દ્ર સાવલિયા કોરોના થી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તેમને વિદાય આપવામાં આવી હતી. જ્યારે તેમને ૨૭ માર્ચથી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે તે સ્વસ્થ થતા તેમને ઘરે જવા માટે આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાને પાંચ વ્યક્તિએ મ્હાત આપી ચૂક્યા છે.
રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ